- June 17, 2009
- Posted by: Mehboob Desai
- Category: Uncategorized
વ્હાલા મિત્રો ,
આજનો સળગતો પ્રશ્ન આત્મહત્યા છે. જીવન ઈશ્વરે આપેલ નેમત છે. તેને આત્મહત્યા દ્વારા વેડફી દેવાની ક્રિયા પાપ છે.
મુસીબતો,સમસ્યાઓ અને દુખો દરેકના જીવનમાં આવે છે. ઈશ્વર-ખુદા સમસ્યાઓ દ્વારા તેના બંદોની કસોટી કરે છે.
આપણા જાણીતા શાયર દાગ દાહેલાવી કહે છે,
દુનિયા મેં આદમીકો મુસીબત કહા નહિ ?
વો કોનસી જમી હૈ જહાં આસમાં નહિ ?
અટેલે મુસીબતોથી ડરીને આત્મહત્યા કરવી એ ભાગેડુ અને ડરપોક માંનોદશ છે. એ માંનોદશમાંથી બહાર નીકળવાનો રસ્તો છે.
એવા સમયે ઈશ્વર-ખુદાનું સ્મરણ કરો.તમારી બધી સમસ્યાઓ ઈશ્વર-ખુદા પર નાખી તેના સ્મરણમાં લીન થઇ જાઓ.
ઈશ્વર ને યાદ કરવાનો ઉત્તમ માર્ગ છે. પ્રાર્થના. પ્રાર્થના માટે કોઈ પણ ક્રિયા જરૂરી નથી.
દરેક ધર્મમાં પ્રાર્થેનાની જુદી જુદી ક્રિયાઓ છે. તેમાંથી કોઈ પણ ક્રિયા અપનાવો.પણ તેમાં એક જ વસ્તુ જરૂરી છે.
અને તે છે. એકાગ્રતા.
ઈશ્વર-ખુદા સાથેની આપની એકાગ્રતા જ આપેના દુખો, સમસ્યોમાંથી મુક્તિ અપાવશે.
મિત્રો, જીવન અમૂલ્ય છે. તેને આત્મહત્યા કરી વેડફશો નહિ.
આજે એટલુજ .
આપનો
મહેબૂબ દેસાઈ