- March 23, 2010
- Posted by: Mehboob Desai
- Category: Uncategorized
ભગતસિંગ,સુખદેવ અને રાજગુરુને સો સો સલામ …….
૨૩ માર્ચની સાંજે ભગતસિંગ ,સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા આપી અંગ્રેજ સરકારે તેમના શાસન પર એક ઔર વિનાશક પ્રહાર કર્યો હતો.
નિયમ મુજબ ફાંસીની સજા સવારેજ આપવાની હોઈ છે.પણ ૧૯૨૯ના એ યુગમાં ભગતસિંગની લોકચાહના ગાંધીજી કરતા પણ ચડીયાતી હતી.
અંગ્રેજ સરકાર પ્રજાના આ પ્રવાહને જાણતી હતી.અને એટલે જ ત્રણે ક્રાંતિકારીઓને અચાનક-કસમયે ફાંસી આપવામાં આવી.ભગતસિંગના માતા-પિતા સુધ્ધાને તેની જાણ કરવામાં આવી ન હતી.ફાંસીના સમયે ભગતસિંગ ખુબ ખુશ હતા. તે સમયે તેઓ લેનિનનું જીવનચરિત્ર વાંચી રહ્યા હતા.
જેલરે આવી ભગતસિંગને ફાંસીના માટે તૈયાર થઈ જવા કહ્યું. ત્યારે ભગતસિંગ બોલ્યા,
“જરા થોભો,અત્યારે એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળી રહ્યો છે.” અને ભગતસિંગે જીવનની છેલ્લી પળોમાં લેનિનના જીવનચરિત્રને પેટ ભરીને માણ્યું. ભગતસિંગ નાસ્તિક હતા.કોઈકે ફાંસી પૂર્વે તેમને
“વાહિગુરુ”ને યાદ કરવા સૂચન કર્યું. ત્યારે પણ ભગતસિંગ બોલી ઉઠ્યા હતા,
“આખી જિંદગી મેં ઈશ્વરને યાદ નથી કર્યા. જીવનની છેલ્લી પળોમાં યાદ કરી મોતના ભય નો મને અહેસાસ થયો છે તેમ ભારતના યુવાનોને સબક આપવા નથી માંગતો.મોત મારા માટે શહાદત છે” અને એ નરવીર હસતા હસતા ફાંસીના માંચડે લટકી ગયો..
1 Comment
Comments are closed.
thnx for writing this