ભગતસિંગ,સુખદેવ અને રાજગુરુને સો સો સલામ …….
૨૩ માર્ચની સાંજે ભગતસિંગ ,સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા આપી અંગ્રેજ સરકારે તેમના શાસન પર એક ઔર વિનાશક પ્રહાર કર્યો હતો.
નિયમ મુજબ ફાંસીની સજા સવારેજ આપવાની હોઈ છે.પણ ૧૯૨૯ના એ યુગમાં ભગતસિંગની લોકચાહના ગાંધીજી કરતા પણ ચડીયાતી હતી.
અંગ્રેજ સરકાર પ્રજાના આ પ્રવાહને જાણતી હતી.અને એટલે જ ત્રણે ક્રાંતિકારીઓને અચાનક-કસમયે ફાંસી આપવામાં આવી.ભગતસિંગના માતા-પિતા સુધ્ધાને તેની જાણ કરવામાં આવી ન હતી.ફાંસીના સમયે ભગતસિંગ ખુબ ખુશ હતા. તે સમયે તેઓ લેનિનનું જીવનચરિત્ર વાંચી રહ્યા હતા.
જેલરે આવી ભગતસિંગને ફાંસીના માટે તૈયાર થઈ જવા કહ્યું. ત્યારે ભગતસિંગ બોલ્યા,
“જરા થોભો,અત્યારે એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળી રહ્યો છે.” અને ભગતસિંગે જીવનની છેલ્લી પળોમાં લેનિનના જીવનચરિત્રને પેટ ભરીને માણ્યું. ભગતસિંગ નાસ્તિક હતા.કોઈકે ફાંસી પૂર્વે તેમને
“વાહિગુરુ”ને યાદ કરવા સૂચન કર્યું. ત્યારે પણ ભગતસિંગ બોલી ઉઠ્યા હતા,
“આખી જિંદગી મેં ઈશ્વરને યાદ નથી કર્યા. જીવનની છેલ્લી પળોમાં યાદ કરી મોતના ભય નો મને અહેસાસ થયો છે તેમ ભારતના યુવાનોને સબક આપવા નથી માંગતો.મોત મારા માટે શહાદત છે” અને એ નરવીર હસતા હસતા ફાંસીના માંચડે લટકી ગયો..
૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…
પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…
છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…
પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…
“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…
આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…