૨૨ માર્ચે જલગાંવ (મહારાષ્ટ્ર )મા આવેલ ગાંધી રીસર્ચ ફાઉન્ડેશનની મુલાકાત લેવાનું બન્યું. ગાંધીજીના જીવન કવનને સાકાર કરતુ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ મ્યુઝીયમ અને ગાંધી સાહિત્યની જાળવણી સંશોધકો માટે સ્વર્ગ સમાન લાગ્યા. સંસ્થાના સ્થાપક શ્રી અશોક જૈન અને ચેરમેન પદમભૂષણ ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારી દ્વારા સર્જાયેલ આ સંસ્થામાં ગાંધીજીના નિયમ મુજબ રોજ સાંજે છ વાગ્યે પ્રાર્થના સ્થાને સૌ મળે છે અને સર્વધર્મ પ્રાર્થના કરે છે. એ પછી કોઈ વક્તા કોઈ પણ એક સદવિચારો પર પાંચે-દસ મિનીટ વાત કરે છે. એ દિવસે મારા શિરે પ્રાર્થના અંગે વાત કરાવાનું આવ્યું. અને મને ગાંધીજીનો જગન્નાથપુરીનો પ્રસંગ યાદ આવી ગયો. જગન્નાથજીના દર્શન હિંદુ સિવાય કોઈ ન કરી શકે, એ નિયમને કારણે ગાંધીજી દર્શન કરવા ન ગયા. પણ મહાદેવભાઇ અને કસ્તુરબા દર્શન કરી આવ્યા. ગાંધીજી નારાજ થયા. અને તેમણે સાંજે મહાદેવભાઈને પોતાના મંત્રીપદેથી રાજીનામું આપી દેવા કહ્યું. મહાદેવભાઇ એ સાંભળી દુઃખી થઇ ગયા. આખી રાત વિચારતા રહ્યા. અંતે સવારે બાપુને રાજીનામું આપ્યું. રાજીનામું જોઈ બાપુ નરમ પડ્યા અને કહ્યું,
હિંદુ ધર્મમાં જેને આપણે પ્રાર્થના કહીએ છીએ, તેને ઇસ્લામમાં દુવા કહે છે. પણ બંનેનો આઘ્યાત્મિક અર્થ એક જ છે. દુવા કે પ્રાર્થના એટલે ખુદા-ઈશ્વર સાથે ભાવનાત્મક સંવાદ. મોટે ભાગે એ સંવાદમાં દુ:ખ–દર્દ દૂર કરવાની આજીજી હોય છે. મનની મુરાદોને પામવાની તમન્ના હોય છે. ખુદાને રાજી કરવાની કોશિશ હોય છે. પણ સાચી પ્રાર્થના આ બધાથી પર છે. તેમાં કઈ પામવાનો સ્વાર્થ નથી હોતો. માત્ર ઈશ્વર કે ખુદાને યાદ કરવાનો ઉદેશ જ હોય છે. આવી નિસ્વાર્થ પ્રાર્થના જ મનની શુદ્ધિનું સાધન બને છે. વળી, આસ્થા, શ્રધ્ધા કે ઈમાન વગરની પ્રાર્થના પણ શ્વાસ વગરના શરીર જેવી છે. એક ગામમાં વરસાદની પ્રાર્થના કરવા ગામના પાદરે આખું ગામ ભેગું થયું. સૌના હાથ ખાલી હતા. પણ એક પાદરી છત્રી લઈને પ્રાર્થના કરવા આવ્યા. કારણ કે તેમને શ્રધ્ધા હતી કે તેમની પ્રાર્થના સાંભળી ઈશ્વર જરૂર વરસાદ મોકલશે. અર્થાત પ્રાર્થનામાં ઇમાન, વિશ્વાસ કે આસ્થા ભળે છે ત્યારે સાચી, નક્કર પ્રાર્થના કે દુવા સર્જાય છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,
૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…
પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…
છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…
પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…
“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…
આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…