દરેક યુગમાં મહામાનવો અને દૈવી પુરુષોના વિરોધીઓ અને તેમના જેવી શક્તિ ધરાવવાનો દાવો કરનાર માનવીઓની સંખ્યા નાનીસુની નથી. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ(સ.અ.વ.)ને ૧૨ ફેબ્રુઆરી ઇ.સ. ૬૧૦ના રોજ ૪૦ વર્ષની વયે નબુવ્વત પ્રાપ્ત થઈ હતી. નબુવ્વ્ત શબ્દ નબી પરથી આવેલો છે. નબી એટલે જેના પર ખુદાઈ ગ્રંથ ઉતરીયો હોય તે દિવ્ય પુરુષ. એ માટે હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)માટે ઇસ્લામમાં પયગમ્બર શબ્દ પ્રયોજાયો છે. હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)પર ખુદાનો સદેશ ઉતરવાનો આરંભ થયો એટલે તેમને નબીનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. એ યુગમાં પણ આજના જેવા જ વિઘ્ન સંતોષી માનવીઓ હતા. જેમણે મહંમદ સાહેબના નબીના દરજ્જાને હસી કાઢ્યો. તેની અવગણા કરી. અને તેમને ભર બજારમાં અપમાનીત કર્યા હતા. તો વળી, કેટલાકે મહંમદ સાહેબ જેમ પોતે પણ નબી છે. અને પોતાના પર પણ ખુદાનો સંદેશ-પયગામ ઉતરે છે તેવો દાવો કર્યો હતો. એવા ફૂટી નીકળેલા નબીઓની વાત પણ ઇસ્લામિક ઇતિહાસમાં નોંધાયેલી છે. નબુવ્વ્તનો એવો એક જુઠ્ઠો દાવેદાર હતો મુસૈલમા. જેણે હિજરી સન ૧૦મા નબુવ્વ્તનો દાવો કર્યો હતો. તેણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ને એક પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું,
“આપને મળેલ નબુવ્વ્તમાં હું પણ ભાગીદાર છું. ખુદાના આદેશ મુજબ અડધા વિશ્વ પર આપ નબુવ્વ્ત કરશો. અને અડધા પર ખુદાએ મને નબુવ્વ્ત આપી છે.”
મહંમદ સાહેબ (સ.અ.વ.)એ તેના આ પત્રના જવાબમાં પોતાના સહાબી પાસે જવાબમાં લખાવ્યો હતો. જેમાં લખ્યું હતું,
“અલ્લાહના રસુલ મહંમદ તરફથી સૌથી જુઠ્ઠા મુસૈલમાના નામે,
આ દુનિયા અલ્લાહની છે. તે તેના બંદોમાંથી જેને ચાહે છે તેને પોતાનો વારીસ બનાવે છે. અને સૌથી સારો અંજામ તો સંયમી લોકોનો જ હોય છે.”
આ જ અરસામાં નબુવ્વ્તના અન્ય જુઠ્ઠા દાવેદારો પણ અસ્તિત્વમાં આવ્યા હતા. જેમણે મહંમદ સાહેબને ઉતરતી વહી જેવીજ વહી પોતાને પણ ઉતરે છે. તેવી વાહિયાત વાતો પ્રસરાવી હતી. એવો એક દાવેદાર તુલેહા બિન ખુવૈલદે હતો. તેના આ દાવાને પ્રખર ટેકો આપનાર બનૂ ગતફાનનો મોટો કબીલો હતો. તેનો સરદાર ઉવૈના બિન હસન ફિજારી હતો. અસવદ ઉનસીએ યમનમાં અને મુસૈલમા બિન હસીબે યમામાં નબુવ્વ્તનો દાવો પ્રસરાવી દીધો હતો. પુરુષોમાં તો આ હવા જબરજસ્ત પ્રસરી ગઈ હતી જ. પણ એક સ્ત્રીએ પણ પોતાની નબુવ્વ્ત જાહેર કરી હતી. તેનું નામ સજાહ બિન્ત હારીસ હતું. તેણે પોતાની નબુવ્વ્તની જાહેરાત ધામધૂમથી કરી હતી. અને કહ્યું હતું,
“ખુદાએ એક સ્ત્રીને નબુવ્વ્ત આપી સ્ત્રીઓનું માન વધાર્યું છે.” અશાઅસ બિન કૈસ તેનો પ્રચારક હતો. પણ તેની નબુવ્વ્તની દલીલ થોડા દિવસોમાં જ પોકળ સાબિત થઇ. પોતાની તાકાત વધારવા માટે તેણે નબુવ્વ્તના દાવેદાર મુસૈલમા બિન હસીબ સાથે નિકાહ કરી લીધા.
આમ જુઠ્ઠી નબુવ્વ્તનો આ રોગ ઇસ્લામિક રાષ્ટ્રમાં પ્રસરવા લાગ્યો. પરિણામે હઝરત અબુ બકરે તેને ડામવા કડક પગલાઓ લીધા. તેમણે આ માટે હઝરત ખાલીદ બિન વલિદની નિયુક્તિ કરી. હઝરત ખાલીદ બિન વલિદ આ પહેલા પણ આ જ દુષણને ડામવાનું કાર્ય કરી ચુક્યા હતા. એટલે તેમના અનુભવનો લાભ મળે અને આ દુષણને તુરત દબાવી શકાય. હઝરત ખાલીદ બિન વલિદએ સૌ પ્રથમ તુહૈલ કબીલા પર હુમલો કર્યો. તેના અનુયાયીઓ ઉવૈના બિન હસન ફિજારીને નબી બનાવવા હિંસક પગલાઓ લઇ રહ્યા હતા. પરિણામે ઉવૈના બિન હસન ફિજારી અને તેના ૩૦ સાથીઓને પકડી મદીના મોકલી આપ્યા. મદીનામાં મહંમદ સાહેબના સાનિધ્યમાં આવતા,તેમનાથી પ્રભાવિત થઈ ઉવૈના બિન હસન ફિજારીએ ઇસ્લામનો અંગીકાર કરી લીધો.
બીજી બાજુ નબુવ્વ્તના જુઠ્ઠા દાવેદાર મુસૈલમા બિન હસીબને ડામવા હઝરત શુરહબિલ બિન હસનને નીમવામાં આવ્યા. તેમની મદદ માટે હઝરત ખાલીદ બિન વાલીદને મોકલવામાં આવ્યા. નબુવ્વ્તના જુઠ્ઠા દાવેદાર મુસૈલમા બિન હસીબ સાથે ધમસાણ યુદ્ધ થયું. યુધ્ધમાં અનેક મુસ્લિમો શહીદ થયા. તેમાં કેટલાકતો કુરાનના હાફીઝ હતા. પણ અંતે જીત સત્યની થઇ. નબુવ્વ્તનો જુઠ્ઠો દાવેદાર મુસૈલમા બિન હસીબ હઝરત બહશીના હાથે હણાયો. જયારે તેની પત્ની અને નબુવ્વ્તની દાવેદાર સજાહ બસરા ભાગી ગઈ. જ્યાં થોડા દિવસો પછી તેનું અવસાન થયું. એ જ રીતે અસવદ અનસી જે પણ નબુવ્વ્તનો દાવેદાર હતો, તેને ફીસ બિન મક્શૂહ અને ફિરોઝ વેલવીએ નશાની હાલતમાં મારી નાખ્યો.
નબુવ્વ્તના જુઠ્ઠા ઠેકેદારો અને ઇસ્લામની વિરુદ્ધ વિદ્રોહ કરનાર સિવાય પણ એક એવો વર્ગ હતો જે ઇસ્લામમાં માનતો હતો, પણ જકાત (ફરજીયાત દાન) આપવાનો ઇનકાર કરતો હતો. આવા લોકો સામે તલવાર ઉપાડવાનો સૌનો આગ્રહ વિસ્તરતો જતો હતો. પણ હઝરત અબુ બકર એ માટે તૈયાર ન હતા.
તેઓ શક્તિ કરતા સમજણ અને કળથી કામ લેવા માંગતા હતા. એટલે તેમણે એલાન માત્ર કર્યું કે
“ખુદાની કસમ, કોઈ જકાતમાં બકરીનું બચ્ચું પણ આપવાનો ઇનકાર કરશે તો તેની સામે જિહાદ કરવામાં આવશે.” અને તેમની આ જાહેરાત કારગત નીવડી. જકાત આપવાનો ઇનકાર કરનારા મુસ્લિમો જકાતના નિયમનું ફરજીયાત પાલન કરવા લાગ્યા.
આવા વિપરીત સંજોગોમાં ઇસ્લામના પ્રચાર-પ્રસારનું કાર્ય અત્યંત કપરું હતું. નબુવ્વ્તના ખોટા દાવેદારો એ પોતાના પ્રભાવથી અરબના પ્રાંતોમાં વિદ્રોહના બીજ વાવ્યા હતા.પરિણામે જુદા જુદા પ્રાંતોમાં બગાવત થવા લાગી હતી. પણ હઝરત અબુ બકરે કુશળતાથી તેમને દાબી દીધા હતા. જેમ કે અરબ કબીલના મોટાભાગના સરદારો ઇસ્લામ વિરુદ્ધ થઈ ગયા હતા. નોમન બિન મુનજીરે બહેરીનમાં બળવો કર્યો હતો. કુંદા વિસ્તારના અરબો પણ ઇસ્લામ અને નબુવ્વ્તમાં વિશ્વાસ ધરાવતા ન હતા.પરિણામે હઝરત અબુ બકરે તે અસંતોષ અહિંસક માર્ગે દાબી દેવાનું કાર્ય કર્યું હતું. જેથી હઝરત મહંમદ પયગમ્બર સાહેબે સંયમ, સબ્ર અને સાદગીથી ઇસ્લામનો પ્રચાર પ્રસાર કરી શકે. ટૂંકમાં ઇસ્લામના પ્રચારમાં મહંમદ સાહેબના પ્રદાન સાથે તેમના સહાબીઓનો સહકાર પણ અદભૂત હતો.
૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…
પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…
છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…
પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…
“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…
આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…